Posts

Showing posts from January, 2026

આનંદદાયી શનિવાર અંતર્ગત રૂઝવણી પ્રા.શાળામાં ચોખાના રોટલા બનાવવાની વ્યવસાયલક્ષી પ્રવૃતિ.

Image
આનંદદાયી શનિવાર અંતર્ગત રૂઝવણી પ્રા.શાળામાં ચોખાના રોટલા બનાવવાની વ્યવસાયલક્ષી પ્રવૃતિ. ખેરગામ તાલુકાની રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી પ્રવૃતિ યોજાઈ. વ્યવસાયલક્ષી કૌશલ્યના વિકાસ માટે વિદ્યાર્થીઓને ચોખાના રોટલા બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.  શિક્ષકોએ રોટલા બનાવવાની પદ્ધતિ સાથે જરૂરી સાવચેતીઓ સમજાવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શીખ્યું કે ચોખાના રોટલા બનાવવા માટે યોગ્ય પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે, નહિતર હાથ દાઝી જવાની સંભાવના રહે છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મનિર્ભરતા, વ્યવહારુ જ્ઞાન અને જીવનકૌશલ્યનો વિકાસ થાય છે.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત...